વર્તમાનસમય એટલે Technologyનાં Touchમાં રહી “ટકી” રહેવું; Internet સાથે અભ્યાસમાં ઊંડો Interest દાખવી, safety સાથે Self-confidence વધારી, Republic Indiaની સાથે Responsible citizen બની; Education સાથે Environmentનું જતન કરી; Smartness સાથે Sympathy દાખવી, Mobile સાથે Self-Recharge થઈ; સારી વાતો અને સારા વિચારો સાથે “સંવેદના” અને “મનુષ્યત્વ” ખીલવવાનો સમય.
આજે “શિક્ષણ” એ આપણી મહત્વની જરૂરીયાત બની ગયું છે.ત્યારે આપણાં બાળકો માત્ર “ટકા” નાં જ કીડા બની ન રહે અને જીવનની પાઠશાળામાં ઉચ્ચ જીવનમૂલ્યો સાથે “પાસ” થય આદર્શ નાગરિક; આદર્શ પિતા કે માતા બને એ ખૂબ આવશ્યક છે. પોતાના ભિતરનાં વિચારોથી સમગ્ર વિશ્વનેસમજી શકે અને વિસ્તરતા જતા જ્ઞાનને આત્મસાત કરી શકે તેવાં વિચારશીલ; માનસિક અને શારીરિક તંદુરસ્ત અને જિંદગીની ખરી કસોટીમાં કાયમમાટે “ટકી” રહે તેવાં બાળકો અને યુવાનો તૈયાર કરવાની આપણા સૌની મોટી જવાબદારી છે. અંતમાં...
“ભણતર એક ફૂલ છે; તેને ન લેવું તે ભૂલ છે,
અને જે આ ભૂલમાં મશગુલ છે, તેની જિંદગી “પાવરફુલ” છે.”
જયહિન્દ.. વંદેમાતરમ્...
રાજુભાઈ એલ. ધણગણ